Posts

સલાહકાર કોણ છે

સલાહકાર બદલાય તોય માણસનું વર્તન બદલાતું હોય છે. કોઈ ને દોષ દેતા પહેલાં, તેમની આસપાસ ના સલાહકાર કોણ છે તે વિચારી જો જો. એ બદલાશે ત્યારે તેમનું વર્તન પણ બદલાશે.

|| શોક મોહ ભયા પહા ||

શોક, મોહ અને ભય થી દૂર થાય તો પ્રભુ મળે.  એમ શ્રીમદ્ ગીતા માં કહ્યું છે. આ વાત ને જો આપણે આપણા જીવન સાથે જોડીએ તો.... ભૂતકાળનો શોક ન કરવો, વર્તમાન નો મોહ ન રાખવો અને ભવિષ્યના ભય વગર જીવન જીવનાર હંમેશા સુખી થાય છે તે હકીકત છે. 

સ્વાસ્થ્ય લાભ

જેમ મશીન ને ચાલતું રાખવા તેલ પૂરવાની જરૂર પડે છે, તેમ આપણા શરીરને પણ સમય સમય પર તેલ પૂરવાની જરૂર છે. નાકમાં તલના તેલના ટીપા નાખવાથી સ્વાસ્થ્ય ને લાભ થાય છે. - શ્રી ચરક મહર્ષિ

સમય ની નદી

સમય ના પ્રવાહને ઓળખો, પૃથ્વી પર સમય પણ નદીની જેમ વહી જાય છે. હા સાચી વાત નદી ની જેમ જ. ક્યાંક ઝડપથી ક્યાંક નિરાંતે પસાર થતા આ સમય ની ગતિ ન્યારી છે. જે લોકો આ ઓળખી શકે છે તે દીર્ઘાયુ છે.

રાસ કોઈ નાચ નથી

રાસ શબ્દ સાંભળીએ એટલે એક નૃત્યનો ખ્યાલ આવે છે. એટલે આપણ ને લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓ સાથે આવો નાચ કર્યો હશે. ખોટી વાત. એ બધા ચિત્રો પણ ખોટા. રાસ એ નાચ નથી. કુંડલીની જાગૃત થયા પછી નું વૈશ્વિક શક્તિનું દિવ્ય નર્તન તે રાસ. શરીરનો નાચ નથી. રાસલીલા વખતે કૃષ્ણ પુરુષ નથી અને ગોપીઓ સ્ત્રીઓ નથી. આ જીવાત્માનું પરમાત્મા સાથે નું મિલન છે. અને આત્માના સ્તરે શરીરની જાતિ મહત્વની બનતી નથી. રાસ એ અશરીરી પ્રેમ છે. આપણે પ્રેમને માત્ર શરીર સાથે જોડ્યો છે. પ્રેમ જ્યારે કેવળ શરીર સાથે જોડાય ત્યારે તે પ્રેમ નથી રહેતો તે વાસના માં અધઃપતિત થતો હોય છે. વાસના ને માત્ર શરીર સાથે સંબંધ છે. પ્રેમ એ મનનો વિષય છે. અને એ પ્રેમ જ્યારે ઉચ્ચગતી પામે, દિવ્યતાને પામે ત્યારે એ ભક્તિ બને છે. અને ભક્તિ એ આત્માનો સંબંધ છે. રાસ એ ભક્તિનો પ્રકાર છે. રાસ એ ભક્તિની ઉચ્ચ અવસ્થા છે. રાસ એ ભક્તિ માર્ગનું ઉચ્ચતમ શિખર છે. પ્રત્યેક ભક્તના હ્રદયની સોનેરી ઇચ્છા, ક્યારે મારી એવી યોગ્યતા થાય અને ક્યારે મને શ્રીકૃષ્ણ સાથે રાસનો અનુભવ થાય. આ પ્રત્યેક ભક્તનું મધુર સ્વપ્ન છે. - પરમ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા ના સત્સંગથી પ્રાપ્...

લાંબું જીવો

વ્યસ્તતાના વાદળમાં વીંટાયેલા મારા વાચક મિત્રોને ફરી યાદ કરાવી દઉં કે શ્વાસ લેવો જરૂરી છે. તમે ક્યારે શ્વાસ લો છો તે તમને પણ ખબર હોતી નથી. પ્રાણવાયુ પ્રાણ બચાવે છે અને જીવન લંબાવે છે. શ્વાસ લો અને લાંબું જીવો.

બ્રહ્માંડ નો ભેદ

આ દુનિયા એક અજબ શક્તિથી ચાલે છે. હું ઘણા એવા સિદ્ધ લોકોને મળ્યો જેઓ આ દુનિયાનો ભેદ ઉકેલીને બેઠાં છે. એમનું કહેવું છે કે આ બ્રહ્માંડના અણુ અણુ ને એક બીજા સાથે સંબંધ છે અને એક-બીજાથી જોડાયેલા છે. જે હું પહેલેથી જ માનતો હતો અને મને વિશ્વાસ છે કે તે સાચી વાત છે. મંત્ર - તંત્ર - યંત્રોની શક્તિ સત્ય છે. આત્મા અને પરમાત્મા સત્ય છે. મેલી વિદ્યાના જાણકાર આજે પણ આ પૃથ્વી પર છે. અને મૂઠ મારી નાગને આંધળો કરનારા વાદી પણ છે. માનો કે ના માનો. જાત અનુભવ એ માહાન શિક્ષક છે.

આજ નો વેપલો

લોકોને મૂર્ખ બનાવવાનો વેપલો માંડ્યો છે મલ્ટીનેશન્સ કંપનીઓએ. આ મોબાઈલ ફોન વાળા તો ખાસ. તમારે જોઈએ કે ના જોઈએ, બસ લઈ જ લો. લોકોને શું થયું છે કંઈ ખબર નથી પડતી એક જ ઘર માં પાંચ - છ ફોન, બે ત્રણ ઇન્ટરનેટ..... ખર્ચાઓ નો પાર નથી. કોણ કમાય છે ને કોણ વાપરે છે.... કેમ આ આંધળી ડોટ મૂકે છે.... શું કમાઈ લે છે આ સગવડોના ઉપયોગ થી એ. ક્યાં જઈ ને અટકશે આ દેખા દેખીનું અને અનુકરણનું ચલણ?

પણ...

ગરમ પવન મને ઘેરી વળ્યો... સાવ સૂનકાર... સૂરજ તપતો હતો જાણે ભઠ્ઠી. શા માટે હું અહીં ઊભો છું? મને ખબર ન હતી. મારા મન અને આંખો પર એક અંધકાર છવાઈ રહ્યો હતો. શું ચાલી રહ્યું છે? મને કાંઈ ખબર ન હતી. બસ હું ઊભો હતો. અચાનક કોઈ મારી સામે આવ્યું... એ છોરા અહીં કેમ ઊભો છે? મેં શું જવાબ આપ્યો મને યાદ નથી. એ માણસ મને લઈ ક્યાંક ચાલવા લાગ્યો... થોડા આગળ ગયા પછી મને પૂછ્યું ભૂખ લાગી છે? મને યાદ નથી મેં શું કહ્યું. થોડે દૂર સુધી મારી સાથે ચાલ્યો અને પછી મને આંગળી થી એક દિશા તરફ ઇશારો કરી કહ્યું આમ ચાલ્યો જા. હું ચાલવા લાગ્યો... ક્યાં? મને ખબર નથી. હું બસ ચાલતો રહ્યો... થોડા સમય પછી હું થાકીને બેસી ગયો. મારા વિચારો બંધ હતા. મારી ઇચ્છાઓ શાંત હતી. કોઈ ચિંતા ન હતી. આખી પૃથ્વી જાણે ખાલી કરી ને લોકો ચાલ્યા ગયા હોય તેમ લાગતું હતું. ક્યાંય કોઈ ન હતું. મારી પણ કોઈને મળવાની ઇચ્છા ન હતી. બસ હું સૂઈ ગયો. ત્યાં ને ત્યાં.  આંખ ખૂલી તો અંધકાર... તારા ઓ ટમટમી રહ્યા હતાં. હવે જાણે પશુ પક્ષીઓની દુનિયા જીવંત થઈ હોય તેમ, ચિત્ર - વિચિત્ર અવાજ આવતા હતા. હું ક્યાંય જવા માગતો ન હતો. બસ ખોવાઈ જવાની જાણે ઇચ્છા હતી....

વેપારી કે ગુલામ

વેપારી સાહસ કરવાથી દૂર ભાગનારા લોકો, હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી ગુલામ રહી જાય છે.

ભગવાન ને ઓળખો

જીવન, મૃત્યુ, આત્મા, પરમાત્મા, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, કર્મ બંધન, મોક્ષ પાછળ વગર વિચાર્યે દોડ્યા કરતા, સર્વ પ્રથમ આ ઘડીની જીવન જરૂરિયાત ને મેળવવા માટેનો પ્રયત્ન એજ ધર્મ છે. ક્યારેય મહેનત કર્યા વિના કોઈને કંઈ પ્રાપ્ત થયું નથી. નસીબ, ગ્રહો, ભાગ્ય જેવી વ્યર્થ વાતોમાં સમય પસાર કરવા કરતા, અંધશ્રદ્ધાને પોષવા કરતા, પરિશ્રમ કરવો એજ ધર્મ છે. પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. બીજા લોકોની મહાનતા ના વખાણ કરવામાં સમય પસાર કર્યા કરતા, પોતાને સક્ષમ બનાવવા નો પ્રયત્ન એજ ધર્મ છે. કર્મથી મોટો ગુરુ કોઈ નથી. કર્મથી મોટો ભગવાન કોઈ નથી. સત્કર્મ એ જ ભગવાન છે.

This Blog's Audience Stats by: google

Image
My Lovely Audience, Thanks for Reading my Blog :)

મફત મેળવો

ઘણા લોકોની આદત છે, માણસ કે મિત્રોના વખાણ કરવા નહીં, જો તેનાથી પોતાને કંઈ ફાયદો ના થવાનો હોય તો. અને જો મફત શબ્દ દેખાય તો બધું વાંચી લેવાનું જાણે શુંય ફાયદો થઈ જાય અને મઝા પડી જાય. અત્યાર સુધી ઘણા લેખ લખ્યા છે આ બ્લોગ પર, પણ એક ક્લિક કરી જોવાનીય તસ્દી લીધી નહીં. જ્યારે મફત મેળવો વાંચ્યું તો આવી ગયા. લોકોને આજ કાલ કોઈનાય જીવન સાથે કોઈ લેવા દેવા નથી. બસ મારો સ્વાર્થ સધાય એટલે પત્યું,  પોતાનો સ્વાર્થ સાધવા ટોળા ભેગાં કરતાં વાર નહીં કરે, તે માટે કંઈ મફત આપવું પડે તોય આપશે. આ સ્વાર્થ પૂરતાં ટોળાનો સમાજ છે.

મેર મૂવા... લોહરીયા

ફિલ્મો માં જ્યારે યાદશક્તિ ભૂલી જાય કોઈ કલાકાર. ક્યાંક થી કંઈક કરીને માથામાં વગાડી લાવે અને પછી હોસ્પિટલ માં જાગે ત્યારે પૂછે... હું ક્યાં છુ.. ? અલ્યા તુ ગુજરાતી ભાષા ના ભૂલી ગયો ??? 

જીવન અને મૃત્યુ

જો ભગવાન એક છે, તો મંદિરો અનેક કેમ? જો ભગવાન એક છે, તો રૂપ અનેક કેમ?  જો આત્મા એજ પરમાત્મા છે, તો આટલા દુઃખ કેમ? ભગવાન એટલે શું ? ભગવાન છે? દરેક કાળમાં જુદા જુદા ધર્મો દ્વારા ભગવાન હોવા અને તેના સુધી પહોંચવા માટે ના રસ્તાઓની અગલ અગલ રીતે રજૂઆત કરવામાં આવી છે. જો ભગવાન હોય તો તે સંતાઈને કેમ બેઠો છે? શું તે માણસ થી ડરીને એમ કરે છે? કે પછી છે જ નહીં? જેઓ ગુરૂને માને છે અને તેમના બતાવેલા રસ્તા પર ચાલે છે. તેઓ આ ચર્ચાનો ભાગ છે જ નહીં. પાપ - પુણ્ય જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જે સમયમાં માણસ જાનવર જેવો હતો તે સમયમાં નિર્બળ લોકો તેના થી બચવા માટે ભગવાન અને પાપ-પુણ્યની બીક બતાવી તેને છેતરી તેના ત્રાસ થી બચતા હતા. જે કોઈના થી ના ડરે તેને ભગવાન ના નામે ડરાવી શાન્ત કરવામાં આવતા. આપણે હાડ-માંસ ના પ્રાણી છીએ ,જેનો જન્મ થયો છે અને મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ બાદના જીવન વિષે ઘણી ચર્ચાઓ છે, પરંતુ તે કરનાર કોણ?   જેણે આજ સુધી મૃત્યુ જોયું જ નથી. સત્ય એ છે કે માણસ તથા બ્રહ્માંડ ના દરેક પ્રાણી, આ સૂક્ષ્મ અને રહસ્યમય બ્રહ્માંડના તત્વો માંથી બન્યા છે, અને અંતે તેમાં ભળી જવાના છે. કોઈ પણ વાચક મિ...

આત્મા

જો આત્મા વિચારી શકે તો.... માણસ ને મગજની જરૂર નથી. અને જો તેમ ના હોય તો... આત્મા કે પ્રેત બીજાના શરીરમાં આવી પોતાની ઇચ્છા કેવી રીતે વ્યક્ત કરી શકે.  જ્યારે વિચારવા માટે મગજની જરૂર છે ત્યારે લોકો એમ દાવો કેમ કરે છે અમે પ્રેતાત્માને જોઈ છે અને એણે અમારી સાથે વાત કરી. વાત કરવા માટે વિચારવાની જરૂર પડે છે. અને વિચારવા માટે મગજ. તો આત્મા વાત કવી રીતે કરી શકે? બીજી તરફ જોવા જઈએ તો કોઈના શરીરમાં પ્રવેશી આત્માએ કે ભૂતે અમુક વસ્તુઓની માંગ કરી. આવું કેવી રીતે શક્ય થાય? જ્યારે કોઈ આત્મા બીજાના શરીરમાં પ્રવેશ કરે, ત્યારે તે શરીરના મગજનો ઉપયોગ કરે છે. તે મગજમાં જે હોય તે જ તે વાંચી શકે.... આ મગજમાં અહીં ઘૂસણખોરી કરેલા આત્માનો કોઈ  ડેટા નથી. તો પછી તેને આ બધું યાદ કેવી રીતે આવે છે? તે લોકો પાસે માંગ કેવી રીતે કરી શકે? વિચારી જુઓ વિચારવા માટે મગજની જરૂર છે કે આત્માની ? જો તમને ક્યારેય એવો અનુભવ થયો હોય કે, તમે સૂઈ ગયા છો અને તમારા શરીરમાંથી આત્મા બહાર આંટો મારવા જાય છે. અને તમારૂ મગજ ઘાડ નિદ્રામાં છે. આવા સમયે જ્યારે આત્મા પાછો શરીરમાં આવે છે અને ઊભા થઈ પાણી પીવા કે હાથ હલાવવાનો પ્ર...

ક્યારે?

મળેલા માનવ અવતાર ને વ્યર્થ કામોમાં ખર્ચીને વેડફી કાઢવા માટે તત્પર રહેતા ઘણા લોકો આજે પણ પોતાને  છેતરી રહ્યા છે. ક્યારે આ દેહ માંથી આત્મા ઊડી જશે અને ક્યારે તમારા તમામ કામ ત્યાં ના ત્યાં અટકી જશે તે ક્યારેય કોઈ જાણી શક્યું નથી. વિચાર કરવા માટે વિચાર કરવાની જરૂર હોતી નથી તેમ જીવવા માટે જીવવાની જરૂર હોતી નથી પણ સમજવા માટે સમજવાની જરૂર છે. ક્યારે?

બસ સ્ટેન્ડ

આ લોકો અહીં આવે છે અને બસમાં બેસી ચાલ્યા જાય છે. હા હું બસ સ્ટેન્ડ છું. મેં ઘણા લોકોને અહીં રહ્યે રહ્યે નાના-મોટા થતા જોયા છે. મેં કેટલાય લોકોની વાતો , જીવનની કહાણીઓ અહીં સાંભળી છે. મને ઘણીવાર હસાવતા અને રડાવતા આ મુસાફરો ક્યારેય મારી  સામે જોતા નથી. બસ એ તો હા એ બસ માટે જ તો આવે છે. આ સફેદ બંડી વાળા કાકાને તો હું પાંત્રીસ વર્ષથી ઓળખુ છું. જ્યારે એમનો દીકરો અમેરિકાથી પાછો આવ્યો ત્યારે તેમને મેં સામેના રોડથી દોડીને બસ પકડતા જોયા હતા... હા ખૂબજ ખુશ હતા ત્યારે... જાણે હાલ દીકરો આવીને ભેટી પડશે.... ત્યારે અહીં ઊભેલા શરદભાઈ એ કહ્યું - એમનો દીકરો અમેરિકાથી આવી રહ્યો છે, એને લેવા માટે હવાઈમથક જઈ રહ્યા છે છનાલાલ - હા એમનું નામ છનાલાલ, હવે યાદ આવ્યું. છનાલાલ ત્યાર પછી ક્યારેય હસતા દેખવા મળ્યા નથી... મેં છેલ્લીવાર એમને કૂદકો મારીને હસતા હસતા બસમાં બેઠેલા જોયા... જ્યારે પાછા આવ્યા ત્યારે, ધીમાં પગલે ઘર તરફ ચાલતા જોયા હતા... થોડી વાર પછી કાન્તા કાકી અહીં આવ્યા હતા... એમની દીકરીના ઘેર જવા માટે. એ વાત કરતા હતા.. - ખરૂ થયું છનાલાલ સાથે. જૈમિનિ બેને પૂછ્યું શું થયું કાકી - - અરે છનાલાલ હોશે હોં...

સુખની શોધમાં માણસ

આ સમયના લોકો પૈસા પાછળ ગાંડા થયા છે. કોઈ કોઈની સામે જોવા માટે તૈયાર નથી, જો પૈસા ના મળવાના હોય તો. સર્વ સુખ જાણે પૈસાથી જ મળી જવાનું હોય  તેમ માની બેઠેલા આજના સમયના લોકોને શરીર અને માણસ નું મહત્વ જાણે ભુલાઈ ગયું છે. દેખા-દેખી અને ઢોંગનો ડગલો પહેરી ફરી રહેલા લોકો આવનારી કાલ માં જીવી રહ્યા છે. આજનું મહત્વ સમજ્યા વગર તે હંમેશા સપનાઓમાં રાચતા રહે છે, અને કાલ સુધારવાની દોડા-દોડીમાં શ્વાસ લેવાનું ભૂલી ગયા છે. કૃત્રિમ સુખ સુવિધા મેળવવાની આ હોડ માણસને ક્યાં લઈ જશે તે સમજાતું નથી. સાચા સુખની શોધમાં મથી મથી ને મરી રહેલા લોકોને સાચા ગુરૂ ની જરૂર છે.

સંબંધો અને પૈસા

સંબંધોથી ઘર ચાલતું નથી, કે કોઈ કંઈ આપતું નથી. મારો અનુભવ જો તમને કહું તો, જ્યારે જ્યારે મેં કોઈ વ્યક્તિને પોતાનું સમજી તેના માટે મારા જીવન માંથી કિંમતી સમય ફાળવ્યો અને મારા પૈસા કમાઈ શકું તેવા સમયને તેમની પાછળ મફતમાં ખર્ચ કર્યો અને  છેવટે હું ગાંડો બન્યો. એ લોકો જેને તમે પોતાના માની, ભવિષ્યમાં તેમની મદદ મળશે તેવું વિચારી તેમના માટે... ત્યાગ કર્યા કરો. ઉપરથી તે તમને ધમકી આપે કે, હું તારી પત્તર ફાડીશ...  આના કરતા તેમના કામ કર્યા વગર પૈસા કમાયા હોત તો સારુ. આજ પછી ક્યારેય હું પૈસા લીધા વગર કોઈ નું ય કામ કરવાનો નથી. સંબંધો નો કોઈ ભરોસો હોતો નથી... એક પળ માં તૂટી જાય છે. પણ બેંક માં મૂકેલા પૈસા આપણી સાથે રહે છે.  વ્યાપાર માં ક્યારેય કોઈ ની મિત્રતા કરવી તે મૂર્ખામી છે.