Posts

Showing posts from December, 2012

સલાહકાર કોણ છે

સલાહકાર બદલાય તોય માણસનું વર્તન બદલાતું હોય છે. કોઈ ને દોષ દેતા પહેલાં, તેમની આસપાસ ના સલાહકાર કોણ છે તે વિચારી જો જો. એ બદલાશે ત્યારે તેમનું વર્તન પણ બદલાશે.

|| શોક મોહ ભયા પહા ||

શોક, મોહ અને ભય થી દૂર થાય તો પ્રભુ મળે.  એમ શ્રીમદ્ ગીતા માં કહ્યું છે. આ વાત ને જો આપણે આપણા જીવન સાથે જોડીએ તો.... ભૂતકાળનો શોક ન કરવો, વર્તમાન નો મોહ ન રાખવો અને ભવિષ્યના ભય વગર જીવન જીવનાર હંમેશા સુખી થાય છે તે હકીકત છે. 

સ્વાસ્થ્ય લાભ

જેમ મશીન ને ચાલતું રાખવા તેલ પૂરવાની જરૂર પડે છે, તેમ આપણા શરીરને પણ સમય સમય પર તેલ પૂરવાની જરૂર છે. નાકમાં તલના તેલના ટીપા નાખવાથી સ્વાસ્થ્ય ને લાભ થાય છે. - શ્રી ચરક મહર્ષિ

સમય ની નદી

સમય ના પ્રવાહને ઓળખો, પૃથ્વી પર સમય પણ નદીની જેમ વહી જાય છે. હા સાચી વાત નદી ની જેમ જ. ક્યાંક ઝડપથી ક્યાંક નિરાંતે પસાર થતા આ સમય ની ગતિ ન્યારી છે. જે લોકો આ ઓળખી શકે છે તે દીર્ઘાયુ છે.