Posts

Showing posts from January, 2013

સનાતન સુખ

સતત પ્રયત્ન અને સારાં કર્મો હંમેશા સારું ફળ આપે જ છે. કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. પોતાની સચ્ચાઈ અને ઈમાનદારી માણસ ને ભલે ધન - વૈભવ ન અપાવી શકે, પરંતુ ક્યારેય દુઃખી થવા દેશે નહીં. કપટ અને અનીતિ માણસ ને ક્ષણિક સુખ આપી શકે છે, પરંતુ સનાતન સુખ માટે સત્યનો માર્ગ શ્રેષ્ઠ છે.

પાછાં આવો છો?

ઘણા લાંબા સમય પછી મેં એ અવાજ સાંભળ્યો... હકીકતમાં એ મારા અંતરાત્માનો અવાજ હતો. હું નક્કી ના કરી શક્યો કે એ અવાજ હૃદય સુધી આવ્યો કેવી રીતે. મેં એ અવાજને ઝીણવટ થી સાંભળ્યો, તેની મને નવાઈ લાગી. મેં એને અનુસરવાનું નક્કી કર્યું. ત્યારે મને જ્ઞાન થયું કે હું અત્યાર સુધી ફક્ત દેખાડો કરવા ના પ્રયાસમાં જીવન જીવી રહ્યો હતો. મેં મને ક્યાંક દૂર ખૂણામાં બેસાડી દીધો હતો. જીવન જીવવાની કલા એ મારી શાળામાં એક વિષય હતો "જીવનકલા", એ સમયે મને એમાં સમજણ ઓછી જ પડતી હતી. પણ જ્યારે આ અવાજ સાંભળ્યો ત્યારે એ શીખેલા પાઠ બધા તાજાં થઈ ગયા. મેં ખૂણામાં બેઠેલા મને ઢંઢોળી ને જગાડ્યો આ સમય વહી રહ્યો છે, જે ક્યારેય પાછો ફરવાનો નથી. કેટલાય વર્ષો મેં અંધકારમાં ગાળી નાખ્યા. બધા જ સામાજિક અને ભૌતિક, આત્માને બંધનમાં રાખતા તમામ વિષયો ને એ ખૂણામાં બેસાડી હું પાછો ફર્યો. તમે ક્યારે પાછાં આવો છો?

સાંભળો તો ખરા

જે માણસ ક્યારેક જ કોઈની વાત સાંભળવા નવરો રહે, અને બાકી સમય પોતે બોલવામાંજ વિતાવે તે લોકોને જો નાત બહાર કાઢવામાં આવે તો બહુ ઓછા લોકો શેષ છે. કેમ? કેમ લોકો પોતાના વખાણ કરવામાંથી બહાર નથી આવતા? તમે સમજી શકો તો મને સમજાવ જો.

હાનિકારક ઉપસ્થિતિ

એવા લોકોને જીવન માંથી દૂર કરો, જેની ઉપસ્થિતિ તમારા વિચારોને વ્યક્ત ના થવા દે. આપણા જીવનમાં એવા ઘણા લોકો હોય છે જેની ઉપસ્થિતિથી આપણે તકલિફ અનુભવીએ છીએ, તો આવા લોકોને આપણા જીવનમાં થી ધિરે ધિરે કાઢી નાખવા એ જ શાણપણ છે.

ભેદ

માણસ ખોવાઈ રહ્યો છે, ખોવાઈ ગયો છે. ક્યાં જવું તે ખબર નથી અને ક્યાં જશે તે જાણતો નથી. જીવન નિર્વાહના પ્રયાસમાં, જીવન ટૂંકાવી રહ્યો છે. ક્યારે સમજાશે, આ અમીરો ના ઘર ભરવાની પ્રક્રિયા નો ભેદ.

માણસ બદલાય છે?

ક્યારેય ન સમજાય તેવી વાત તો એ છે કે માણસ બદલાય છે કેવી રીતે? માણસ તો એ નો એ જ હોય છે. પછી એમાં બદલાઈ શું જાય છે?  ઘણી વાર મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે. એ તો બદલાઈ ગયો છે. એતો હવે પહેલા જેવો રહ્યો નથી. મારા દોસ્ત જ્યારે મન માં એમ વિચાર આવે ત્યારે સમજ જો કે, એ તો એવો ને એવો જ છે. એની ગરજ અને તારો સમય બદલાઈ ગયો છે. - અશંક્ય

સમજવાની સમજણ

ભગવાન ત્યાં નથી જ્યાં તમે જોઈ રહ્યા છો, ભગવાન ત્યાં છે જેનાથી તમે જોઈ રહ્યા છો. - અશંક્ય