Posts

Showing posts from January, 2014

આત્માને મગજ હોય?

આત્માને શરીર હોતું નથી... તો પછી મગજ વગર આત્મા યાદ કેવી રીતે રાખી શકે...? કાન વગર સાંભળી કેમ શકે? તો પછી... બદલો લેવા આવેલા ભૂતની વાતો સત્ય કેવી રીતે હોઈ શકે? અને જો આત્મા વિચારી અને યાદ રાખી શકે તો માનવ શરીરમાં મગજનું કામ શું?

સંસારનો સાર

1) કોઈના પર ઉપકાર કરશો નહીં, અને કરો તો... ભૂલી જ જો કે તમને તેના બદલામાં કંઈ મળવાનું છે. 2) કોઈની ઇજ્જત કરતા પહેલા, કોઈના વખાણ કરતા પહેલા, કોઈને તમારા કરતાં વધારે સારો કહેતા પહેલા વિચાર કરજો, ક્યાંક તમારું અપમાન ન થાય. સૂક્ષ્મતા થી દિલ પર હાથ મૂકીને... ભલે કોઈને કહેશો નહીં.. તમને થયેલા જીવનના આવા અનુભવ ની ટકાવારી વધારે કે ઓછી?  હવે સમય બદલાઈ રહ્યો છે... આવનારા સમયમાં આવા અનુભવ બધાને વારંવાર થશે.  હજી ઘણું છે... ફરી મુલાકાત લેજો.