સનાતન સુખ
સતત પ્રયત્ન અને સારાં કર્મો હંમેશા સારું ફળ આપે જ છે. કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. પોતાની સચ્ચાઈ અને ઈમાનદારી માણસ ને ભલે ધન - વૈભવ ન અપાવી શકે, પરંતુ ક્યારેય દુઃખી થવા દેશે નહીં. કપટ અને અનીતિ માણસ ને ક્ષણિક સુખ આપી શકે છે, પરંતુ સનાતન સુખ માટે સત્યનો માર્ગ શ્રેષ્ઠ છે.