સલાહકાર બદલાય તોય માણસનું વર્તન બદલાતું હોય છે. કોઈ ને દોષ દેતા પહેલાં, તેમની આસપાસ ના સલાહકાર કોણ છે તે વિચારી જો જો. એ બદલાશે ત્યારે તેમનું વર્તન પણ બદલાશે.
પ્રેમ ને વહેવા દો … પ્રેમ ને કોઈ સંબંધોના નામ રૂપી પાંજરા માં કેદ કરવાનો પ્રયત્ન કરશો ને … તો કદાચ …. તો કદાચ એ ગાયબ થઈ જશે … હા …. એ અલૌકિક અને જાદૂઈ છે . એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે આજ સૂધી કોઈ સમજી શક્યુ નથી . ખરેખર કહું ને …. તો પ્રેમને સમજવાનો પ્રયત્ન પણ કરશો તો એ ગાયબ થઈ જશે . પ્રેમ ને વહેવા દો … બસ … જેમ છે તેમ રહેવા દો …
જીવન ના ચડાવ ઉતાર અને સંબંધોની સમજણ અથવા સંબંધોના જ્ઞાન થી ક્યારેક એવો સમય પણ આવે છે કે, પોક મૂકીને રડવું છે પણ કામ એટલુ છે કે રડવા માટે સમય નથી. આ જીવનની આંટૂ-ઘૂટી એ રડવા માટે પણ માણસ ને એકલો છોડતી નથી. હે સમય થોડી વાર થંભી જા, હું થાકી ગયો છું મારે થોડો સમય મારા માટે જોઈએ છે... મારે થોડું રડવું છે.