Posts

Showing posts with the label ભવિષ્ય

|| શોક મોહ ભયા પહા ||

શોક, મોહ અને ભય થી દૂર થાય તો પ્રભુ મળે.  એમ શ્રીમદ્ ગીતા માં કહ્યું છે. આ વાત ને જો આપણે આપણા જીવન સાથે જોડીએ તો.... ભૂતકાળનો શોક ન કરવો, વર્તમાન નો મોહ ન રાખવો અને ભવિષ્યના ભય વગર જીવન જીવનાર હંમેશા સુખી થાય છે તે હકીકત છે. 

સંબંધો અને પૈસા

સંબંધોથી ઘર ચાલતું નથી, કે કોઈ કંઈ આપતું નથી. મારો અનુભવ જો તમને કહું તો, જ્યારે જ્યારે મેં કોઈ વ્યક્તિને પોતાનું સમજી તેના માટે મારા જીવન માંથી કિંમતી સમય ફાળવ્યો અને મારા પૈસા કમાઈ શકું તેવા સમયને તેમની પાછળ મફતમાં ખર્ચ કર્યો અને  છેવટે હું ગાંડો બન્યો. એ લોકો જેને તમે પોતાના માની, ભવિષ્યમાં તેમની મદદ મળશે તેવું વિચારી તેમના માટે... ત્યાગ કર્યા કરો. ઉપરથી તે તમને ધમકી આપે કે, હું તારી પત્તર ફાડીશ...  આના કરતા તેમના કામ કર્યા વગર પૈસા કમાયા હોત તો સારુ. આજ પછી ક્યારેય હું પૈસા લીધા વગર કોઈ નું ય કામ કરવાનો નથી. સંબંધો નો કોઈ ભરોસો હોતો નથી... એક પળ માં તૂટી જાય છે. પણ બેંક માં મૂકેલા પૈસા આપણી સાથે રહે છે.  વ્યાપાર માં ક્યારેય કોઈ ની મિત્રતા કરવી તે મૂર્ખામી છે.