આત્માને શરીર હોતું નથી... તો પછી મગજ વગર આત્મા યાદ કેવી રીતે રાખી શકે...? કાન વગર સાંભળી કેમ શકે? તો પછી... બદલો લેવા આવેલા ભૂતની વાતો સત્ય કેવી રીતે હોઈ શકે? અને જો આત્મા વિચારી અને યાદ રાખી શકે તો માનવ શરીરમાં મગજનું કામ શું?
પ્રેમ અને નોકરી માં લગભગ બધુ સરખુ જ હોય છે. એક તરફ સાહેબ બીજી તરફ પ્રેમિકા. વરસો વરસ વફાદારી થી વીતાવ્યા પછી, એક ભૂલ પણ માફ નથી હોતી. મનમાં ને મનમાં એ તમારા ભૂતકાળના તમામ ત્યાગ અને બલિદાન ની બલી ચઢાવી દે છે.
પ્રેમ ને વહેવા દો … પ્રેમ ને કોઈ સંબંધોના નામ રૂપી પાંજરા માં કેદ કરવાનો પ્રયત્ન કરશો ને … તો કદાચ …. તો કદાચ એ ગાયબ થઈ જશે … હા …. એ અલૌકિક અને જાદૂઈ છે . એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે આજ સૂધી કોઈ સમજી શક્યુ નથી . ખરેખર કહું ને …. તો પ્રેમને સમજવાનો પ્રયત્ન પણ કરશો તો એ ગાયબ થઈ જશે . પ્રેમ ને વહેવા દો … બસ … જેમ છે તેમ રહેવા દો …